Abtak Media Google News

ખાસ ફરજ પરના અધિકારી એ. કે. રાકેશે આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર સાથે બેઠક યોજી

૧૦૪ હેલ્પલાઈન પર ફોન કરી ઘરબેઠા ધનવંતરી રથ સેવા મેળવી શકાશે: જામનગરમાં કોરોનાના ૪૫૦થી વધુ કેસ

શહેર જિલ્લામાં વધતા જતા કોરોનાને નાથવા માટે ખાસ ફરજ પર મુકાયેલા રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ વિકાસના અધિક સચિવે શહેર જિલ્લાની કોરોનાની સ્થિતીની સમીક્ષા કરી જણાવ્યું કે શહેરમાં કોરોના વધશે થતો રિવર્સ આઈસોલેશન કરવામાં આવશે.

જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પુરૃં પાડવા માટે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ જામનગરમાં આવ્યા હતા . જ્યાં તેમણે કલેક્ટર કચેરીમાં આરોગ્ય્ તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ જામનગરમાં કોવિડ-૧૯ ની હાલની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતાં.

અધિક મુખ્ય સચિવે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પોઝિટિવ આવેલ દર્દીઓની વિસ્તાર અને વોર્ડ તેમજ ઝોન વાઈઝ માહિતી મેળવી હતી. તેમજ સીસી ટીવી. દ્વારા કોવિડ હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓની લાઈવ મુવમેન્ટ નિહાળી સ્થિતિની જાણકારી મેળવી હતી. આ સો જ જામનગરમાં હાલમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા આગોતરી તૈયારીના ભાગરૃપે આવશ્યક દવાઓ, સાધનો, સ્ટાફ વિગેરે બાબતે ચર્ચા કરી હતી. આમ સારવાર સંક્રમણ અટકાયતી દરેક પરિમાણની ચર્ચા કરી જામનગરમાં સંક્રમણ વધે નહીં અને સારવારને પણ વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અંગે સમગ્ર તા સમીક્ષા કરવામાં આવી હતી.આ તકે અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે,જામનગરમાં હાલસુધીમાં ૪૫૦ થી વધુ કેસ નોંધાયેલા છે ત્યારે સંક્રમણને વધુ અટકાવવા અને સો જ જો આ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં  લોકોને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટીસ, બી.પી વગેરેના દર્દીઓ જે આ રોગમાં વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે કવોરેન્ટાઇન રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.

જામનગર જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા દરેક વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ અને આરોગ્યની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે લોકો તેનો લાભ લે. આ ઉપરાંત લોકોને ૧૦૪  હેલ્પ લાઇન પર ફોન કરી ઘરબેઠાં સારવાર મેળવી શકાશે તેમ અધિક મુખ્ય સચિવે ઉમેર્યુ હતું.

જિલ્લા કલેક્ટર  રવિશંકરે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ કુલ ૨૮ જેટલા ધનવંતરી રથ લોકસુખાકારી આરોગ્યની સુવિધા હેતુ કાર્યરત છે ત્યારેજામનગર જિલ્લાના તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં આવતાધનવંતરી રથનો લાભ લઇ નિરોગી રહેવા આગળા આવે. સાથે જ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સર્વેમાં ભાગ લઇ પોતાની સ્થિતિ વિશેની જાણકારી તેમાં અપલોડ કરે જેથી કોવિડની આ સ્થિતિમાં તંત્ર લોકોને વધુ મદદરૂપ બની શકે. આ એપ કી લોકો પોતાના વિસ્તારમાં કે પોતે કોઇ અન્ય વિસ્તારમાં જતા પહેલા અગાઉ જ આસપાસના પોઝિટિવ કે શંકાસ્પદ દર્દી વિશે જાણી સંક્રમણી બચી શકશે. આ માટે એપ ડાઉનલોડ કરી ઇંટરનેટ અને બ્લુટુને ચાલુ રાખવા જિલ્લા સમાહર્તાએ લોકોને અનુરોધ કર્યો હતો.આ સાથે જ મ્યુનિ.કમિશનર સતીષ પટેલે લોકોને અનુરોધ કર્યો છે કેવર્ષાઋતુમાં ગત વર્ષ જામનગરમાં ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા તે આ વર્ષ અટકાવી શકાય તે માટે સામાન્ય રીતે ઉનાળામાં લોકો પક્ષીઓ માટે પાણી રાખવા પક્ષી કુંજ રાખતા હોય છે પરંતુ તેની અંદરનું પાણી વાસી થતાં તેમાં મચ્છરના પોરા બને છે અને તેનાથી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન ાય છે. આ માટે હાલમાં લોકો આ પક્ષી કુંજને સાફ કરી રાખી દે અવા તો તેમાં રોજ સ્વચ્છ પાણી ભરે, અગાસી પર રાખેલ પાત્રો, ટાયર વગેરેમાં પાણીના ભરાવાને અટકાવે અને આવી જ અન્ય તકેદારીઓ કી ડેન્ગ્યુને અટકાવવામાં પોતાનો અનન્ય સહયોગ આપે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા,  એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન  નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ  દિપક તિવારી, જિલ્લા આરોગ્ય અધિકારી બવાર વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.