Abtak Media Google News

નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે ધીમા અને દુષિત પાણીની સમસ્યા હલ કરવા રહીશોની માંગ

સુરેન્દ્રનગર શહેરમાં આપેલા ભારતપરા વિસ્તાર વોર્ડ નં.૪ માં સુરેન્દ્રનગર દુધેરજ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં જીયુડીસીના માઘ્યમથી નવી પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી છે. ત્યારે સુ.નગર શહેરના અમુક વોર્ડમાં પાણી આપવાનું શરુ કરવાનું ન આવતા વિવિધ પ્રશ્ર્નો નગરપાલિકા તંત્ર સામે ઉઠી રહ્યા છે. ત્યારે આ સમયે નગરપાલિકાના વોર્ડ નં.૪ માં ભારતપરા શેરી નં. ર માં નવી પાણીની પાઇપ લાઇન માં ગટરના ગંદા પાણી દુષિત પાણી વિતરણ થતાં ભારત પરા વાસીઓ રોષ સાથે દેકારો મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં.૪ માં આવે ભારતપરા શેરી નં.ર માં નવી પાણીની પાઇપ લાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે નવી પાઇપ લાઇન નાખ્યા બાદ દુષિત પાણી અને ધીમુ પાણીમાં વિસ્તારમાં આવતા દેકારો મચી જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતપરા શેરી નં. ર માં પીવા પાણનો પ્રશ્ર્ન હલ કરવા નગરપાલિકાના સત્તાધીશો તંત્ર કાને અવાર નવાર ફરીયાદ કરવા છતા આ પ્રશ્ર્ન હલ થયો ન હોવાનો સ્થાનીક રહીશોનો બળાપો ઠલાવી જણાવી રહ્યા આથી નગરપાલિકાના તંત્ર દ્વારા તાકીદે આ વિસ્તારમાં મીકેનીકલ ટીમને દોડાવી વિતરણ થતા ગંદા અને દુષિત પાણી અને ધીમા પાણી વિતરણ થતાની સમસ્યા હલ કરાવી આ વિસ્તારના રહીશોની માંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.