Abtak Media Google News

પ્રમ વખત ધાર્મીક સંસ્થાઓ અને ધર્મગુરૂઓ સાથે વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય ઓરી / રૂબેલા અભિયાનનું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬ મી જુલાઈથી અમલીકરણ થવાનું છે. રાજકોટ શહેરની ૮૦૦ થી વધારે શાળા તા ૩૪૫ આંગણવાડીનાં ૪ લાખ ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ૯ માસી ૧૫ વર્ષનાં બાળકોને આશીર્વાદરૂપ ઓરી / રૂબેલા રસીકરણ કાર્યક્રમને ૧૦૦ % સફળ બનાવવા તા કાર્યક્રમ વિષે ગેરમાન્યતા ન રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રમ વખત વિવિધ ધર્મના ગુરૂઓ તા અગ્રણીઓની મીટીંગ કમ વર્કશોપ (જાગૃતિ કાર્યક્રમ) સેન્ટ્રલ ઝોન ખાતે સંપન્ન કરેલ હતો.

જેમાં અયપ્પા સેવા સમિતિ, આત્મીય સંસ્થા, બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા, એસએમવીએસ સ્વામીનારાયણ સંસ્થા, ગુરૂકુળ ઢેબર રોડ, ગુરૂકુળ ભુપેન્દ્ર રોડ, બ્રહ્માકુમારીઝ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, મિશનરીઝ ઓફ ચેરીટી, મેલડી માતાજીનું મંદિર, નગીના મસ્જીદ, ઝુલેખા મસ્જીદ, નવાબ મસ્જીદ, નુરાનીપરા મસ્જીદ, સીદીક મસ્જીદ, રાઉમાં જમાત હોલ, સંજરી મસ્જીદ, નવાબ મસ્જીદ, અલ્કાબા મસ્જીદ, ગુલઝારે મુસ્તુફા મસ્જીદ, મદીના મસ્જીદ, સુન્ની ઘાંચી મસ્જીદ વિગેરે સમાજના તથા ધર્મના ૫૬ જેટલા અગ્રણીઓ હાજર રહેલ હતા જેમને એમએમઓ ડો. અમોલ ભોસલે દ્વારા એમઆર રસીકરણની માહિતી આપી ચર્ચા કરેલ હતી.

આ ચર્ચા દરમિયાન બાપ્સ ડો. ગુંજન મોદીએ સભામાં પ્રચાર પ્રસાર કરવા ખાતરી આપેલ હતી. બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે બહોળી સંખામાં પ્રચાર કરવા બાંહેધરી આપેલ હતી. બ્રહ્માકુમારીઝનાં ગીતાબેન દ્વારા તમામ સેવા કેન્દ્રોમાં પ્રચાર તાથ રસીકરણ અંગે જણાવેલ હતું. નગીના મસ્જિદના અગ્રણી તથા મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ બાવાણીએ તેમની ધાર્મિક સંસમાં થતા સંચાલિત ધાર્મિક શાળાઓમાં ૧૦૦ % રસીકરણ અંગે બાંહેધરી આપેલ હતી.

મેયર બીનાબેન આચાર્યએ દરેક સમાજના અગ્રણીઓને ૯ માસી ૧૫ વર્ષનાં બાળકોને ૧૦૦ % ઓરી / રૂબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી. મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ દરેક સંસના અગ્રણીઓને ઓરી / રૂબેલા રસીકરણ, ઉપરાંત સ્વચ્છતા તથા મચ્છરજન્ય રોગચાળા અંગે માર્ગદર્શન આપેલ હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.