Abtak Media Google News

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ  બનાવની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે ત્યારે આ બનાવથી ભારતના ટેસ્ટ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ દુઃખી છે અને તેનો દુઃખ અને ગુસ્સો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

રવિન્દ્ર જાડેજાને પણ એક બેટી છે અને કઠુઆ અને ઉન્નાવની જે ઘટના બની  અને તેના પછી રવિન્દ્ર જાડેજાએ એક કાગળ પર પોતાના શાબ્દિક વિચારો લખીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે  રવિન્દ્ર જાડેજાએ લખ્યું છે કે હું ભારતીય છું પણ આજે હું પણ શરમિંદો છું.

દેવીના સ્થાન ગણાતા કઠુઆ અને ઉન્નાવમાં 8 વર્ષની બાળકી પર સામુહિક  બળાત્કારથાય  અને તેની હત્યા થાય તેઘટના ધૃણાસ્પદ છે  અને જસ્ટિસ મળવો જ જોઈએ રવિન્દ્ર જાડેજા દેશમાં બનતી ઘટના વિષે પોતાના મંતવ્ય હમેંશા વ્યક્ત કરતો આવે છે અને આ વખતે પણ રવિન્દ્ર જાડેજા એ કાગળ પર લખાણ લખીને કાગળ પર પોતાનું જ લખાણ વિશ્વ સમક્ષ પોતાની સાથે દેખાડ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.