Abtak Media Google News

યુ.પી.ના કારીગરોએ બનાવ્યા પુતળા: ૬૦ ફુટનો રાવણ અને ૩૦-૩૦ ફુટના મેઘનાથ-કુંભકર્ણ: ભવ્ય આતશબાજી

અને ભારતીય સેનાના બ્રિગેડીયર તથા કર્નલનું થશે સન્માન: કાર્યકરો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વિ.હિ.પ. બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં દાયકાઓથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે સમગ્ર ગુજરાતભરમાં સૌથી ઉંચામાં ઉંચા રાવણના પુતળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે કાલે રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ કલાકે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવશે. આ તકે અનેક પ્રકારના અને બાળકોને આનંદ આવે તેવા નવીન પ્રકારનાં ફટાકડાઓની ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.

અનિષ્ટના પ્રતિક એવા રાવણ મેઘનાથ કુંભકર્ણના પૂતળાનું દહન તથા શસ્ત્ર પૂજન કરી આ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા બજરંગ દળના કાર્યક્રરો હરેશભાઈ ચૌહાણ, નીતેશભાઈ કથીરીયા, મહાવીરસિંહ જાડેજા, પંકજભાઈ બકુત્રા અને હર્ષભાઈ વ્યાસએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ વર્ષે રાજકોટ મહાનગરમાં વિ.હિ.પ. બજરંગદળ દ્વારા ગુજરાતનો સૌથી ઉંચો ૬૦ ફૂટનો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના ૩૦ ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. અ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.)થક્ષ તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા હતા જેમને કેટલા દિવસોની સખ્ત જહેમત અને મટીરીયલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને આ પૂતળાઓનું નિર્માણ કર્યું છે. આ કાર્યક્રમમાં ધર્મસભામાં મુખ્ય વકતા તરીકે વિહિપ ગુજરાતના ક્ષેત્રનાં અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી હાજર રહેશે.

આ તકે ખાસ વિહિપ અને બજરંગદળના આમંત્રણને માન આપીને પધારી રહેલા બ્રિગેડીયર અજીતસિંગ અને કર્નલ તુષાર જોષીનું અદકે‚ બહુમાન કરવામાં આવશે.

વિ.હિ.પ. દ્વારા ગુજરાતનાં સૌથી મોટા રાવણના પૂતળા દહન ઉપરાંત શસ્ત્રની પુજાનું પણ આ દિવસે અને‚ મહત્વ રહેલુ છે. દર વર્ષે પૂતળા દહનના કાર્યક્રમ વખતે ખાસ બનાવેલા મંડપમાં શસ્ત્ર ગોઠવવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. બાળકોનાં નાનપણથી જ સાર્ય પ્રગટ થાય અને શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ રહેલું આગવું સ્થાન અને તેના મહત્વને સમજવાના પ્રયાસ ‚પે ઉપસ્થિત તમામ જનમેદની માટે શસ્ત્ર પૂજનની આગવી વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે ઉપસ્થિત બાળકોને પણ અનેરો આનંદ મળે તે માટે ભવ્ય આતીશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાવળ દહનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ હરીભાઈ ડોડીયા, મહાનગર અધ્યક્ષ શાંતુભાઈ ‚પારેલીયા, કાર્યાધ્યક્ષ હસુભાઈ ચંદારાણા, ગુજરાત ક્ષેત્ર સંયોજક હરેશભાઈ ચૌહાણ, નિતેશભાઈ કથીરીયા, કૃણાલભાઈ વ્યાસ, વિનુભાઈ ટીલાવત, રામભાઈ શાંખલા, સુશીલભાઈ પાંભર, રાહુલભાઈ જાની, કલ્પેશભાઈ મહેતા, રીશીતભાઈ શીંગાળા, મનોજભાઈ કદમ, ધનરાજભાઈ રાધાણી, વનરાજભાઈ ચાવડા, અશોકસિંહ ડોડીયા, મહેશભાઈ ડોડીયા, ઈશ્ર્વરભાઈ શર્મા, કલ્પેશભાઈ રાવલ, હિનેશભાઈ મકવાણા, દિપકભાઈ ગમઢા, વિમલભાઈ બગડાઈ, પંકજભાઈ બકુતરા, ચંદ્રસિંહ ડોડીયા, મહાવીરસિંહ જાડેજા, વિનોદભાઈ દુધીયાણી, રશ્મીતભાઈ પટેલ, અમીતભાઈ કોટક, સંદિપભાઈ આસોદરીયા, વિશાલભાઈ નાંઢા, રમેશભાઈ લીંબાસીયા, વિમલભાઈ લીંબાસીયા, મનીષભાઈ મીયાત્રા, કિશોરભાઈ જગદાળે સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે તમામ હોદેદારો દ્વારા આ પૂતળા દહન કાર્યક્રમમાં રાજકોટના પ્રજાજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા વિહિપ દ્વારા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.