Abtak Media Google News

જામનગર રોડ પર વોર સોસાયટી સામે અયોઘ્યા નિવાસી ખાખી મહંત રામલક્ષ્મણદાસજી મહારાજ ગુરુ નારણદાસજી મહારાજ સ્થાપિત, પ્રાણ-પ્રતિષ્ઠા રામજી મંદીર રામ લક્ષ્મણ આશ્રમ ખાતે મંદીરના પૂ. બિહારીબાપુના પ્રેરક સાનિઘ્યમાં તાજેતરમાં અખંડ રામધુન યોજાઇ હતી.  દેશનાં ૧ર જયોતિલિંગમાં દર સાલ ૯ દિવસ માટે યોજાતા અખંડ હરિનામ સંકિર્તનના ભાગરુપે યોજાતી આ રામધુન દર સાલ અહિ યોજાય છે. શહેરના દુર દુરના વિસ્તારોમાંથી રામપ્રેમી ભકતો વિશાળ સંખ્યામાં હાજરી આપીને રામધૂનના સત્સંગનો લાભ લઇ રહ્યાં છે. મંદીરે આવનાર તમામ ભકતોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અખંડ રાભધુનના અંતિમ દિવસોમાં રામપ્રેમી ભાવિકોને રામધુનમાં સાહેલ થવા રામલક્ષ્મણ આશ્રમ રામજી મંદીરના મહંત રાઘવદાસબાપુની યાદીમાં આમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.