Abtak Media Google News

અમરેલી જિલ્લાનાં રાજુલા ખાતે સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અકસ્માત સમયે તેમજ ગરીબ દર્દીઓને તાત્કાલિક વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવા એમ્બ્યુલન્સની અપુરતી સુવિધા સામે અમરેલી જિલ્લા ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણે સાંસદ નારણભાઈ કાછડીયાને રજુઆત કરતા આ પ્રશ્નનો ટુંક સમયમાં જ ઉકેલ આવશે.

રાજુલા અને જાફરાબાદ બંને ઔધોગિક રીતે ખુબ જ આગળ વધી રહ્યા છે તેમજ નેશનલ હાઈવે પસાર થાય છે ત્યારે નાના-મોટા અકસ્માતો પણ થવાનો ભય રહેલ છે. આવા સમયે ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ એમ્બ્યુલન્સની જરૂરીયાત હતી.

આ બાબતની રજુઆતો જનતા તરફથી મળતા સાંસદ નારણભાઈ કાછડીયાને રજુઆત કરતા તેઓએ તેમની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ફાળવણી કરતા જનતાને આ સુવિધાનો લાભ મળશે તેમ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.