Abtak Media Google News

રાજુલામાં સર્વ માનવ સેવા ગ્રુપ દ્વારા ઘણાં સમયથી અલગ અલગ સેવાકીય પ્રવૃતિ ચાલે છે જેમાં ગાયને ધાસ નાખવા તથા દર્દીઓને ફળ બિસ્કીટ આપવા જેવા પ્રશંસા લાયક કાર્ય કરે છે. હમણાં જ રાજુલાથી સાત કી.મી. દુર એવા ખાખબાઇ ગામે જય ચામુંડા આવેલ છે. જે આશ્રમમાં સાઘ્વીજી રેખાપુરીજી આ આશ્રમમાં સેવા કરે છે.

ત્યાં સર્વ માનવ સેવા ગ્રુપના સભ્યો વિકાસભાઇ, બાબા, ગુણા ભગત દમભાઇ, આસુતોષભાઇ, સુલેમાનભાઇ વિગેરે સભ્યોએ તથા આશ્રમે જઇને ફુલ ઝાડના વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું અને આશ્રમનું નામને રોશન કરી સાઘ્વીજીના આશીર્વાદ લીધા હતા આ સર્વ માનવ સેવા ગ્રુપના સલીમબાપુ તથા વિનુબાપુના સાનીઘ્ય તથા સલાહ સુચન અને માર્ગદર્શન મુજબ કાર્ય કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.