રાજુલા તાલુકાના આગરીયા નજીક પાંચાળી આહીર રાધા–કૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઈ બલદાણીયા પર શૈલેષ ચાંદુ તેના મળતિયા ટોળકી દ્વારા જીવલેણ હિંચકારો હુમલો કરવામાં આવેલ. આ બનાવનો હેતુ એવો છે કે થોડા દિવસો પહેલા સમાજની સગીરાનું અપહરણ કરી ઉપાડી જનાર સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના માથાભારે સરપંચ દાડુ ચાંદુની સુરત પોલીસે ધરપકડ કરેલ જેથી જેના પેટમાં તેલ રેડાયું એવા શૈલેષ ચાંદુને પેટની પીડા ઉપડતા અને તેની સામે કોઈ માથુ ન ઉંચકે અને વિરોધમાં ચાલતી પ્રવૃતિમાં કોઈ ભાગ ન લે તેવા બદઈરાદાથી આ અંગેની કામગીરીની આગેવાની લેનાર અને ૧૧૦ ગામના પ્રમુખ દેવાતભાઈ પર હિંચકારો હુમલો થયેલ. જે અંગે ચર્ચા વિચારણા કરવા મહુવા રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાજના આગેવાનોની મીટીંગ મળેલ અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ અને તહોમતદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જેથી અન્ય આગેવાનો પર આવા કૃષ્ણનું પુનરાવર્તન ન થાય સાથે અમરેલી જીલ્લાના ડીએસપી નિર્લીપ્તરાયની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને નીચેના પોલીસ સ્ટાફ કે આ લોકો સાથે મળતીયા છે તેવા અંગે પગલા લેવા રજુઆત કરવામાં અાવી છે.
Trending
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ
- ગીકબેન્ચ લિસ્ટિંગમાં Microsoft Surfaceનો સમાવેશ…
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ