Abtak Media Google News

તાલુકા હેલ્થ કચેરી રાજુલા જાફરાબાદ દ્વારા ડો.ડી.ડી.કવાડ, અધિક્ષક એસ.ડી.એચ. રાજુલાના અધ્યક્ષ સ્થાને, ડો.કે.એ.ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફીસર રાજુલાની બદલી મોટા આંકડીયા મુકામે થતા તેઓને તેમજ બીપીનભાઈ પંડયા બી.આઈ.ઈ.સી.ઓ નિવૃત થતા તેઓને ભવ્ય વિદાય માન આપવામાં આવેલ હતુ.

ડો.ડી.ડી. કવાડ દ્વારા ડો.કે.એ.ચૌંહાણની આરોગ્યલક્ષી કાર્ય કરવાની શૈલીને બિરદાવવામાં આવેલ હતી. વિદાય લઈ રહેલા ડો.કે.એ.ચૌહાણ તેમજ બીપીનભાઈ પંડયા એ સ્ટાફ દ્વારા સાથ અને સહકાર મળેલ જે બદલ તમામ સ્ટાફનો આભાર વ્યકત કરેલ હતો

આ વિદાય સમારોહમાં ડો.એન.વી. કળસરીયા, ડો.એચ.બી.હડીયા, ડો.શકિતસિંહ ખુમાણ દ્વારા પ્રાસંગીક પ્રવચન કરેલ તેમજ આ સમારોહમાં તાલુકા હેલ્થ કચેરી રાજુલા, જાફરાબાદના તમામ મેડીકલ ઓફીસરઓ, આર.બી.એસ.કે.મેડીકલ ઓફીસરઓ, ફાર્માસીસ્ટ લેબોરેટરી ટેકનીશીયન મેઈલ ફીમેઈલ સુપરવાઈઝરઓ, મેઈલ ફીમેઈલ આરોગ્ય કર્મચારીઓ, ડેટા ઓપરેટરઓ, અર્બન હેલ્થનો સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફીસના પુરોહિતભાઈ, કાપડીભાઈ, સંજયભાઈ દવે, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, તેજસભાઈ ધ્રાંગધરીયા, ભુપેન્દ્રભાઈ શનિશ્ર્વરા, ગૌરાંગભાઈ વાવડીયા, સોનલબેન વાવડીયા, જલ્પાબેન વેગડા તેમજ અ‚ણાબેન પંડયા હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.