Abtak Media Google News

રેલવે સ્ટેશનો પર દર્શાવવામાં આવેલા બોર્ડમાં ક્ષતિ નિરીક્ષણ અભિયાન શ‚

રાજકોટ રેલવે મંડળ દ્વારા રેલવે પ્રબંધક પી.વી. નિનાવની અધ્યક્ષતામાં રાજભાષા કાર્યભવન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠક દરમિયાન રેલવે પ્રબંધક નિનાવે રેલવેની માસીક પત્રિકા સૌરાષ્ટ્ર ગૌરવના ચોથા અંકનું વિમોચન કર્યું બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે રાજભાષા નિયમોના પાલન પર વિશેષ જોર આપ્યું રાજભાષા અધિકારી તેમજ રેલવે પ્રબંધક એસ.એસ. યાદવે કલમ ૩ (૩)ના દસ્તાવેજોનું દ્વિભાષીકરણ તથા સ્ટેશનો પર દર્શાવાતી સૂચના બોર્ડમાં થતી ક્ષતિનું નિરીક્ષણ અભિયાનનો પ્રારંભ કરવાની સૂચના આપી. રાજભાષા અધિકારી સુનીતા આહિરે બેઠકનું સંચાલન કર્યું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.