Abtak Media Google News

વાંકાનેર મા વધી રહેલ ટ્રાફીક સમસ્યા ને નિવારવા માટે સીટી પી.એસ.આઈ. આર.પી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સાંજ ના સમયે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલ હતુ જેમા વાંઢા લીમડા ચોક થી મેઈન બજાર સહીત આખા શહેર માં ટ્રાફીક ને અડચણ થતા વાહનો ને દુર કરાવી દુકાનદારો ને પોતાની દુકાનો પાસે ટ્રાફીક ને અડચણ નો થાય એવી રીતે વાહનો પાર્ક નો કરવા માટેની સુચના આપેલ આવી રીતે મુખ્ય માર્ગો પર પગપાળા ફરી ને ટ્રાફીક સમસ્યા હલ કરવા મહેનત કરેલ જાડેજા સાહેબ ની આ સરાહનીય કામગીરી  થી લોકો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.જો આજ રીતે વારંવાર આવુ પેટ્રોલીંગ થતુ રહે તો  ટ્રાફીક સમસ્યા માથી વાંકાનેર વાસી ઓ ને ટુંક સમય મા જ રાહત મળી શકે એવુ બુધ્ધીજીવી ઓ મા ચર્ચાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.