Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નં. ૯૩નાં આચાર્ય વનિતાબેન રાઠોડને શ્રેષ્ઠ ખાતે શિક્ષણદિનનાં દિવસે રાજયપાલ દેવવ્રત આચાર્યનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ દિનની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ખાતે પે્રક્ષા વિશ્ર્વભારતી ખાતે સચિવ નૂતનબેન રાવલ હસ્તે પુસ્તક દ્વારા વનિતાબેન રાઠોડનું સન્માન કરવામાં આવ્યું તથા ગાંધીનગર નર્મદા હોલ ખાતે ૮-૯-૨૦ શિક્ષક દિનનાં પર્વ પર રાજયપાલ હસ્તે વનિતાબેન રાઠોડને રાજયનાં શ્રેષ્ઠ એચ-ટાટ આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાજ, અંજુશમા મેડમ, ટી.એસ. જોશી એમ.એસ. જોશી હાજર રહ્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાશનાધિકારી ચેરમેન કે.નિ યુઆરસી સીઆરસી દ્વારા વનિતાબેનને અભિનંદન પાઠવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.