Abtak Media Google News

વડાપ્રધાન મોદી આગામી તા.૨૦ જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. મોદી ૨૦મીએ સવારે સીધા સુરત જશે. ત્યારબાદ ત્રણથી ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે.

વડાપ્રધાનના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા બે લાખ મકાનો લાભાર્થીને અર્પણ કરશે. તેમજ ધરમપુરમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણી પુરવઠા યોજનાને ખુલ્લી મુકશે. સાંજે ૫:૩૦ કલાકે મોદી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કોન્વોકેશનના કાર્યક્રમમાં હાજરી આપશે.

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર વડાપ્રધાન મોદી બપોરે જુનાગઢની મુલાકાત લે તેવી શકયતા છે જયાં તેઓ પશુ હોસ્પિટલનું ઉદઘાટન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.