Abtak Media Google News

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે સમગ્ર દેશમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે જવાના છે અને ત્યાં દાંડી યાત્રાની યાદમાં બનાવવામાં આવેલા દાંડી સ્મારકનું લોકાર્પણ કરશે.

આ કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીની સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.