Abtak Media Google News

લોકલ માટે વોકલ પ્રોત્સાહનને આવકારતું જિલ્લા ભાજપ

કેન્દ્રીય નાણામંત્રીનિર્મલા સીતારમન તા અનુરાગજી ઠાકુર દ્વારા દેશના ખેડૂતો, પશુપાલકો, માછીમારો, હર્બલ પ્રોડક્ટ ઉત્પાદકો, માઈક્રોફૂડ સહીતની વિવિધ જાહેરાતોને જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા,  જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ આવકારી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની સતત ખેવના કરતા હોય છે. આજે વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે ખેડૂતોને હાલાકી પડી છે. તેને ધ્યાને લઇ ખેડૂતોની આવક બમણી કરવા માટે કટીબધ્ધતા સો કરી રહ્યા છે. કૃષિક્ષેત્રની મજબૂતી માટે ખેતપેદાશોની સંગ્રહક્ષમતા વધારવા માટે પરિવહન, કોલ્ડ ચેઈન, કૃષિને લગતા સ્ટાર્ટઅપ માટે સરકારે એક લાખ કરોડ રૂપિયા ફાળવીને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત બનશે અને ખેડૂતોની આવક બમણી શે. તેમજ લોકલ પેદાશોને વૈશ્વિક બનાવવા તેમજ બ્રાન્ડીંગ માટે ૧૦ હજાર કરોડની ફાળવણીી કૃષિક્ષેત્રે વિકાસ ખરા ર્અમાં ચરિર્તા શે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પોતાની પેદાશો વેચવાનો ખુબ જ મહત્વનો નિર્ણય લીધો જેમાં ખેડૂત હવે પોતાની ખેત પેદાશ દેશના કોઇપણ રાજ્યમાં જઈને વેચી શકશે. જેનાી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાકીય જાહેરાતોને રાજકોટ જીલ્લા ભાજપાના પ્રમુખ ડિ.કે.સખિયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ આવકારી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ સરકારે ખેડૂતો પાસેી ટેકાના ભાવે ખરીદી શરુ કરી રૂપિયા ૭૪૩૦૦ કરોડની ખેત પેદાશો ખરીદી છે ઉપરાંત પ્રધાનમંત્રી કિશાન યોજના હેઠળ ૧૮૭૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક પહોંચ સો લોકલ માટે વોકલને પ્રોત્સાહન પૂરું પાડનારું બનશે. સરકાર તમામ વર્ગોને ધ્યાનમાં લઈને ખેડૂતો પ્રતિ પણ સંવેદનશીલતા દાખવીને આવતા સમયમાં ખેડૂતોની આવક બમણી શે તેમ સખીયા, મેતા, ઢોલ, બોઘરાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.