Abtak Media Google News

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ  દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની ઈ-લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા મથક તથા તાલુકા મથકે તા.૨૬/૯/૨૦૨૦ના રોજ ઈ- લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ ઈ-લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો,  (ચેક રિટર્ન અંગેના કેસો), બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રીકસીટી તથા પાણીના  બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો,  અન્ય સમાધાન લાયક કેસો વિગેરે સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.

જેથી  આ ઈ-લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કરેલ છે તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી ઈ-લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ  કોવિડ-૧૯ના કારણે અદાલતમાં હાજર રહયા વગર વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટનો સંપર્ક કરી તેઓના કેસ ઈ-લોકઅદાલતમાં મુકવા કાર્યવાહી હાથધરી શકે છે. જેથી આ ઈ-લોકઅદાલતનો મહત્તમ લાભ વધુને વધુ કેસો ઈ-લોકઅદાલતમાં મુકાવી, ઈ-લોક અદાલતને સફળ બનાવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.