Abtak Media Google News

ટ્રાન્સપ્લાન્ટ એક જટિલ પ્રક્રિયા છે, જેને સરળ બનાવવાની પ્રક્રિયામાં મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે: ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની અને દરદી તા ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ મળવું જરૂરી હતું, પરંતુ આજની તારીખે જો એ બન્ને વસ્તુ પણ ન મળતી હોય તેમ છતાં ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે

ગયા અઠવાડિયે મુંબઈની એક હોટેલમાં એક નાટક ભજવાયું, જેમાં ફક્ત બાર વર્ષના છોકરાનો પર્ફોર્મન્સ જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ છોકરો એટલે મુલુંડમાં રહેતો કેદાર પલણ. આજે તેને જોઈને કોઈ સમજી ન શકે, પરંતુ આ બાળકે બાર વર્ષમાં ઘણું ભોગવી લીધું છે. તે જન્મ્યો ત્યારે જન્મી જ તેને મૂત્રાશયમાં બ્લોકેજ હતું. આ પ્રકારના પ્રોબ્લેમ્સ સોનોગ્રાફીમાં પકડાઈ જાય છે, પરંતુ ડોક્ટરની ભૂલને કારણે એ પકડાયું નહીં. એથી તકલીફ એ ઈ કે જન્મ પછી બાળક દૂધ પીએ પછી સતત ઊલટી કરતું અને તેનું વજન બિલકુલ વધતું જ નહીં. એટલે તપાસ કરાવી ત્યારે ખબર પડી. એક મહિનાના બાળકનું ઑપરેશન યું અને એ ઑપરેશન પછી પણ એકદમ ઠીક વા માટે તેનાં બીજાં ત્રણેક ઑપરેશન યાં. જન્મ પહેલાંથી જ મૂત્રાશયમાં જે ખામી હતી અને એ જન્મ પછી પણ એક મહિનો રહી એને લીધે તેની કિડની પહેલેી જ ડેમેજ્ડ હતી. એ ડેમેજ્ડ કિડની ઉંમર વધવાની સો વધુ ને વધુ ડેમેજ તી ચાલી. લગભગ દોઢ વર્ષ તે ડાયાલિસિસ પર રહ્યો. ત્યાર પછી પણ પ્રોબ્લેમ એ હતો કે તેનો ગ્રો જ અટકી ગયો હતો. ડોક્ટરે સજેસ્ટ કર્યું કે બાળકને કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. પહેલાં તો છોકરાના દાદા કિડની દેવા તૈયાર હતા, પરંતુ તેમની ઉંમર અને અમુક ઉંમરલાયક રોગોને લીધે ડોક્ટરે ના પાડી. છોકરાની મમ્મી અને પિતાએ નિર્ણય લીધો કે મમ્મીપોતે જ કિડની આપશે. જોકે તકલીફ એ પડી કે મમ્મીઅને દિકરાનું બ્લડ-ગ્રુપ અલગ-અલગ હતું, પરંતુ ડોક્ટરે બાંહેધરી આપી કે બ્લડ-ગ્રુપ અલગ હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે અને એમાં કોઈ તકલીફ પડશે નહીં. ૨૦૧૪માં કેદારનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે છોકરોસ્કૂલ જાય છે, ડ્રામા શીખે છે અને લગભગ નોર્મલ કહી શકાય એવી લાઇફ જીવે છે. ભાગ્યે જ લોકો જાણે છે કે ડોનર અને દરદી બન્નેનું બ્લડ-ગ્રુપ અલગ હોય તો પણ કિડની ડોનેટ ઈ શકે છે. કેદારના કિસ્સામાં એવું જ બન્યું હતું. આજે જાણીએ એ કઈ રીતે શક્ય છે.

સૌપ્રમ સમજીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડની ફેલ થાય અને તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ત્યારે બે પ્રકારે તેનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. કોઈ મૃત વ્યક્તિ તેને કિડની ડોનેટ કરે ત્યારે અવા તો એ વ્યક્તિનાં સગાંસંબંધીમાંથી કોઈ જીવિત વ્યક્તિ તેને કિડની આપે ત્યારે. કોઈ પણ કિડની મળે ત્યારે એને મેચ કરવાની પણ એક પ્રક્રિયા છે, જેમાં મુખ્યત્વે બે પરિબળો જોવામાં આવે છે. નર્મદા કિડની ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ હોસ્પિટલ, પરેલના નેફ્રોલોજિસ્ટ ડોકટરકહે છે, એક છે ટિશ્યુ-મેચિંગ. એક જ મા-બાપનાં સંતાનોમાં ટિશ્યુ મેચ વાની શક્યતા વધુ રહે છે. એટલે કે દરદીને પોતાનાં ભાઈ-બહેનની કિડની મળે તો એ મેચ વાની શક્યતા વધુ રહે છે. એમાં પણ જો જોવા જઈએ તો પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ ૧૦૦ ટકા મેચ તા હોય છે, જ્યારે પચાસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ મેચ વાની શક્યતા પચાસ ટકા જ રહેલી છે. બાકીના બચેલા પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ બિલકુલ મેચ તા ની. આમ એવું જરૂરી ની કે ભાઈ-બહેન હોય તો ટિશ્યુ મેચ થાય જ. ટિશ્યુ મેચ વાનો ફાયદો એ છે કે ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ ઘણું સારું આવે છે, પરંતુ જો ટિશ્યુ મેચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જેમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ઇમ્યુનોસપ્રેશન્ટ દવાઓ આપવામાં આવે છે. એી ઇન્ફેક્શનનું રિસ્ક ઘટી જાય છે. જોકે ક્યારેક કોઈ કેસમાં એવું બને કે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ ન જાય, પણ એ શક્યતા તો કોઈ પણ કેસમાં રહેલી છે જ.

છોકરાના કેસમાં તેનાં મમ્મી સો તેનું ટિશ્યુ મેચ તું હતું, પરંતુ બીજું પરિમાણ એટલે કે દરદી અને ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ પણ મળવું જોઈએ એ પરિમાણ મળતું નહોતું. એના વિશે સમજાવતાં ડોકટરકહે છે, દરદી અને ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ મેળવવું એટલા માટે જરૂરી છે કે વ્યક્તિના શરીરમાં જે ટાઇપનું બ્લડ-ગ્રુપ હોય એ ટાઇપનાં ઍન્ટિબોડીઝ પણ એમાં હોય જ છે. એટલે કે જો વ્યક્તિમાં બ્લડ-ગ્રુપ Aહોય તો તેના શરીરમાં બ્લડ-ગ્રુપ ગ્નાં ઍન્ટિબોડીઝ હોય. બ્લડ-ગ્રુપ Bહોય તો બ્લડ-ગ્રુપ અનાં ઍન્ટિબોડીઝ. જો બ્લડ-ગ્રુપ 0હોય તો તેના શરીરમાં બ્લડ-ગ્રુપ Aઅને Bબન્નેનાં ઍન્ટિબોડીઝ હોય છે અને જો બ્લડ-ગ્રુપ AB હોય તો કોઈ પણ પ્રકારનાં ઍન્ટિબોડીઝ હોતાં ની. આમ બ્લડ-ગ્રુપ ABહોય તો એ યુનિવર્સલ રેસિપિઅન્ટ બને છે. હવે જ્યારે બ્લડ-ગ્રુપ મેચ તું હોય તો ટ્રાન્સપ્લાન્ટ ઘણું સરળ અને સારું થાય છે. એટલે કોશિશ એવી જ કરવામાં આવે છે કે બ્લડ-ગ્રુપ મેચ થાય. પરંતુ જ્યારે એવું તું ની ત્યારે બીજા ઉપાયો કરવામાં આવે છે.

ઉપાય :બે વ્યક્તિનું બ્લડ-ગ્રુપ મેચ ન થાય ત્યારે શું ઉપાય કરી શકાય એ બાબતે ડોકટરકહે છે, સૌપ્રમ તો આવું થાય ત્યારે દરદીના શરીરમાં કેટલાં ઍન્ટિબોડીઝ છે એ જાણવું પડે છે. જો ઍન્ટિબોડીઝ ખૂબ જ ઓછાં હોય તો કોઈ પ્રોસીજર કરવી ન પડે, સીધું ટ્રાન્સપ્લાન્ટ તરફ આગળ વધી શકાય અને જો ખૂબ જ વધારે હોય તો પણ પ્રોસીજર કરવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહીં બને. પરંતુ જો ઍન્ટિબોડીઝ પ્રમાણસર હોય તો પહેલાં પ્લાઝમા ફોરેસિસ એક્સચેન્જ નામની પ્રક્રિયા કરીને ઍન્ટિબોડીઝનું પ્રમાણ ઘટાડવું પડે છે અને પછી જ્યારે એનું પ્રમાણ એકદમ ઘટી જાય પછી ટ્રાન્સપ્લાન્ટ ઈ શકે છે.

ટ્રાન્સપ્લાન્ટ બન્યું સરળ

૧૯૮૯માં દુનિયાના આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ, જેમાં બ્લડ-ગ્રુપ મેચ થતું ની. ૨૦૦૫માં એને ધીમે-ધીમે સમગ્ર દુનિયામાં સ્વીકૃતિ મળી. ૨૦૧૨માં જપાનના એક જાણીતા સજ્ર્યન પ્રોફેસર તનાબે ભારત આવ્યા અને અહીંના મેડિકલ પ્રોફેશનલ્સને એ વિશે સમજાવ્યું અને ટ્રેઇનિંગ આપી. જપાનમાં આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અત્યંત સહજ છે, કારણ કે આ દેશના નિયમો મુજબ જીવિત વ્યક્તિની કિડની જ સ્વીકાર્ય રહે છે. મૃત વ્યક્તિ દાન કરી શકતી ની. એ પછી ધીમે-ધીમે આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ ભારતમાં થોડાં-થોડાં સેન્ટરમાં શરૂ થયાં છે. આમ જોવા જઈએ તો કિડની મેચ થાય કે ન થાય, બ્લડ-ગ્રુપ મેચ થાય કે ન થાય;

કોઈ પણ વ્યક્તિ દરદીને કિડની ડોનેટ કરી જ શકે છે. એનો ર્અ એ યો કે કોઈ પણ દરદી પોતાનાં સગાંસંબંધી પાસેી કિડની મેળવીને એક નવી જિંદગી શરૂ કરી શકે છે. જો મેચ થાય તો બેસ્ટ, પરંતુ મેચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જે મેડિકલ સાયન્સની એક મોટી સિદ્ધિ છે જે ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ પ્રક્રિયાને સરળ બનાવે છે. મહત્વની વાત એ છે કે જ્યારે કશું મેચ ની તું ત્યારે તકેદારી અને કાળજી વધુ લેવી પડે છે એટલે એ દરેક ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં શક્ય બનતું ની. અમુક ખાસ સેન્ટર્સમાં જ એ શક્ય બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.