Abtak Media Google News

શહેરના છેવાડાના વિસ્તાર શક્તિપરાની ઘટના; લોકોમાં ભયનો માહોલ

વાંકાનેર નજીક દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે વાંકાનેર શહેરના છેવાડાના શક્તિપરા વિસ્તારમાં રાત્રીના છ બકરાને રાની પશુએ ફાડી ખાતા સનસનાટી મચી ગઇ છે અને લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના છેવાડાના વિસ્તાર એવા શક્તિપરામાં મધ્ય રાત્રીએ ચંદુભાઈ કવુંભાઈ મલના ફળિયામાં બાંધેલા છ બકરાને રાનીપશુએ ફાડી ખાઈ મારણ કરતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા.

વધુમાં ચંદુભાઈનો પરિવાર રાત્રીના બહાર ગયો હોય ફળિયામાં બાંધેલા સાત બકરા પૈકી છ બકરાનું  રાની પશુએ મારણ કર્યું હતું અને એક બકરું ઇજાગ્રસ્ત હાલતમાં કણસતું મળી આવ્યું હતું અને સવારે જ્યારે પરિવાર ઘેર આવ્યો ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

બીજી તરફ વાંકાનેર નજીકના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના વાવડ વચ્ચે શહેરના છેવાડાના વિસ્તારમાં એક સાથે છ – છ બકરાને રાની પશુએ ફાડી ખાતા લોકોમાં ચિંતા સાથે ભયનું લખ – લખું પ્રસરી જવા પામ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.