Abtak Media Google News

વાડીએ રહેતા વૃધ્ધ દંપતીને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા

પાલીતાણાના રંડોળા ગામે લૂંટ થવી ડબલ મર્ડરની ઘટના બની છે, વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની લૂંટારૂઓએ ખાટલે બાંધી બોડ પર્દાના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ તથા જ એસપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ આરંભી હતી.

પાલીતાણા તાલુકાના રંડોળા ગામે મંગળવારે મોડીરાત્રીના સસમયે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી કે જેઓ વાડી  વિસ્તારમાં તેમના જ રહેતા હોય અને તેઓની ગઈકાલ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના બોડ પર્દાના ઘા મારી ને હત્યા નીપજાવી દેતા ચકચાર મચી ગઈ છે, સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ પાલીતાણા ના રંડોળા ગામે પોતાની વાડીએ રહેતા વૃદ્ધ દંપતી કરશનભાઈ રાઘવજીભાઈ રંગપરા અને તેમના પત્ની વજુબેન બન્ને પોતાના ઘેર સુતા હતા.

ત્યારે કેટલાક અજાણ્યા ઇસમોએ આવી બન્ને પર બોડ પર્દાના ઘા મારી ખૂની હુમલો કરી બન્ને ની હત્યા નીપજાવી ફરાર ઈ ગયા હતા, સમગ્ર ઘટના ને લઈને નાના એવા રંડોળા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે, ઘટના ના પગલે પાલીતાણા ના રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના ની જાણ તા જ ભાવનગર એસપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો.

આ ઘટના ને લઈને ભાવનગર પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલ ની મદદી આરોપીઓનું પગેરું શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, સમગ્ર ઘટના ને લઈને લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જીલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે અને એક પછી એક હત્યાના ના ગુનાને અંજામ આપી રહ્યા છે, હજુ ગઈકાલે સવારે જ તળાજામાં કોળી યુવકની હત્યા બાદ ફરી પાલીતાણામાં ડબલ મર્ડરની ઘટના થી લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.