Abtak Media Google News

પૃથ્વીથી માત્ર ૧૮૦ મીલીયન પ્રકાશ વર્ષ દૂરથી પસાર થનાર પદાર્થ અંગે સંશોધકોમાં ભારે ઉત્સુકતા

પૃથ્વીથી એકદમ નજીકથી એક થીજેલો અવકાશી પદાર્થ આગામી તા.૨૮મીના રોજ પસાર થશે તેવું સંશોધકોનું કહેવું છે. આ ઘટના કરોડો વર્ષે એકવાર બને છે. કોસ્મો-કેમીકલ ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે જ્યાં બરફથી થીજેલો અવકાશી પદાર્થ પૃથ્વીની એકદમ નજીકી પસાર થતો હશે. અગાઉ આ પદાર્થ આપણી આકાશગંગાથી દૂર જઈ રહ્યો હતો પરંતુ હવે તેણે દિશા બદલી છે.

આ પદાર્થને બીઆઈ બોરીસોવ નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સૂર્ય માળામાં આ પદાર્થ ફરી રહ્યો હતો. હવે તેણે દિશા બદલી પૃથ્વી તરફ પ્રયાણ કર્યું છે. આ પદાર્થ તા.૨૮ના રોજ પૃથ્વીથી ૧૮૦ મીલીયન પ્રકાશવર્ષ દૂરી થી પસાર થશે તેવું અવકાશ શાસ્ત્રીઓનું માનવું છે. બે વર્ષ પહેલા સંશોધકોએ આ પદાર્થ આપણી સોલાર સીસ્ટમમાં હોવાનું શોધી કાઢ્યું હતું. જો કે, ત્યારબાદ આ પદાર્થ આપણી આકાશગંગાથી બહાર જતો હોવાનું સામે આવ્યું હતું.

7537D2F3 9

હવે બીઆઈ બોરીસોવ પૃથ્વીથી માત્ર ૧૮૦ મીલીયન પ્રકાશવર્ષ દૂરીથી જ પસાર થવાનો હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોએ આ પદાર્થ પરથી સંશોધન કરવા માટે ટીમ તૈયાર કરી છે. ટેલીસ્કોપ મુકાઈ ગયા છે. અગાઉ આ પદાર્થ એલીયન શીપ હોવાની માન્યતા જોવા મળી હતી પરંતુ ત્યારબાદ ફલીત થયું હતું કે, આ એક ઉલ્કાપીંડ સમાન પદાર્થ છે જે આખે આખો બરફથી ઘેરાયેલો છે. આ ઉલ્કાપીંડમાં મોનોકસાઈડ અને અન્ય ઝેરી તત્ત્વો હોવાનું માનવામાં આવે છે.

તાજેતરમાં અવકાશ શાસ્ત્રીઓએ આ પદાર્થ મામલે અભ્યાસ કર્યો હતો. આ પદાર્થથી પૃથ્વી ઉપર કોઈ ખતરો ન હોવાનું પણ માનવામાં આવે છે. ઓન્ટારીયોમાં આવેલી મેક માસ્ટર યુનિવર્સિટીના સંશોધકો આ પદાર્થ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. પદાર્થમાં રેડીયેશન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. માટે જ્યારે આ પદાર્થ આગામી તા.૨૮ના રોજ પૃથ્વીની નજીકી પસાર થશે ત્યારે તેના સંશોધનમાં વૈજ્ઞાનિકોને ઉંડો રસ પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.