Abtak Media Google News
થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે આજરોજ મોરબીના  સનાળા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ઇતિહાસ રચ્યો હતો.
Img 20180222 Wa0012ઓમ શક્તિ ગ્રુપ સનાળા દ્વારા સ્વ.સુખુભા શિવુભા ઝાલાના સ્મરણાર્થે આજે સવારે  ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સવારથી સ્વયંભૂ રીતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન કર્યું હતું.
Img 20180222 Wa0011ઉલ્લેખનીય છે કે આ રક્તદાન કેમ્પમાં ક્ષત્રિય સમાજના બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી ઇતિહાસ સર્જી દીધો હતો.
વધુમાં સાંજે પાંચ વાગ્યા સુધી અવિરત પણે ચાલનાર આ કેમ્પમાં મોટાપ્રમાણમાં રક્ત એકત્રિત થનાર હોવાનો આશાવાદ આયોજકોએ વ્યક્ત કરી  રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા દર્દીઓને ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.