રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે તબક્કાવાર જુદા જુદા કામો કરી રહેલ છે. જેના ભાગ રૂપે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહેલ છે. જેન અનુસંધાને રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોટરવર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ લીધેલ અને બન્ને ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની માહિતી મેળવેલ. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર