Abtak Media Google News

સૂર્ય એકમાત્ર એવા દેવતા છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ: જેથી આંખોનું તેજ વધવું, હાડકાની મજબૂતી અને અભ્યાસમાં એકાગ્રતા જેવા શારિરીક ફાયદાઓ પણ થાય છે

સૂર્ય વગર જીવસૃષ્ટિ શકય નથી એવું કહેવું જરા પણ ખોટું નથી. કારણ કે દરેક પશુ-પક્ષી-પ્રાણી વનસ્પતિ સૂર્યપ્રકાશ વગર ટકી શકતી નથી. આથી જ ભગવાને જે માનવજીવને બુધ્ધિ, ચતુરાઈ આપી છે તે માનવે સૂર્યનો ઉપકાર કયારેય ભૂલવો જોઈએ નહિ. ત્યારે દરેક વ્યકિતએ સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ જે સૂર્યનું ઋણ ચૂકવવા બરાબર જ છે. સૂર્યને અર્ધ્ય આપવાનાં આધ્યાત્મિક સાથે સાથે શારીરીક પણ ઘણા ફાયદા છે.

આપણા જીવનમાં તથા દરેક ધર્જ્ઞમાં સૂર્યનું અનેકગણું મહત્વ છે.સૂર્ય પ્રકાશ વગર અને સૂર્યની શકિત વગર જીવન અશકય છે. સૂર્યથી જ માનવ જીવન શકય છે. જયોતિષમાં પણ સૂર્યગ્રહને સૌથી મહત્વનો ગણવામાં આવ્યો છે. સૌ પ્રથમ પૂરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં રામ ભગવાન રાવણ સાથે યુધ્ધ કરતા થાકે છે. ત્યારે સૂર્યના આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરે છે. અને ત્યારબાદ પાછુ યુધ્ધ કરી અને રાવણને મારે છે. આમ સૂર્યની શકિતનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે.

બીજુ જોઈએ તો જયારે પિતૃઓને તૃપ્ત કરવા હોય તો પિતૃકાર્યમાં તર્પણ પછી સૂર્ય ઉપસ્થાન સૂર્ય ને નમસ્કાર કરવામાં આવે છે. આમ સૂર્ય દેવના માધ્યમથી પિતૃઓ તૃપ્ત થાય છે.

ખાસ કરીને સૂર્યની શકિત વગર આપણુ મનુષ્ય જીવન શકય જ નથી. એક શ્ર્લોક છે આદિત્યસ્થ નમસ્કાર યે કૂર્વની દીનેદીને.જન્માંતર સહસ્ત્રેસો દારીદ્રોન ઉપજાય તે.

દરરોજ સૂર્યને અર્ધ્ય આપવાથી હજારો જન્મ સુધ્ધી દરીદ્રતા નથી આવતી.

દરરોજ સવારે સૂર્ય ઉદય થયા પછી ત્રાંબાના લોટામાં કંકુ પાણી પધરાવવા ત્યારબાદ ઘરની છત ઉપર અકે તુલસીનુંકુડું રાખવું અને ત્યાર પછી સવારના સૂર્યોદય બાદ તુલશીના કુંડામાં પાણી પડે તે રીતે સૂર્યને અર્ધ્ય આપવું. ત્રાંબાના લોટામાં કંકુ પધરાવેલ પાણી સૂર્ય સામે જોઈ અને ‘ૐ આદિત્યાય નમ:’ બોલતા બોલતા સૂર્યને અર્ધ્ય આપવું તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.

સૂર્યને અર્ધ્ય આપવાના ફાયદા

૧. આંખોનું તેજ વધે.

૨. હાડકા મજબુત થાય.

૩. આરોગ્ય સારૂ રહે.

૪. આત્મબળ મજબુત થાય.

૫. સૂર્યગ્રહ બળવાન બને.

૬. વિદ્યાર્થી વર્ગે ખાસ અર્ધ્ય આપવું જેથી અભ્યાસમાં એકાગ્રતા આવે.

૭. દુ:ખ અને દરિદ્રતાનો નાશ થાય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.