Abtak Media Google News

રામકૃષ્ણ આશ્રમ આયોજીત બ્રહ્મ સેતુ ફાઉન્ડેશન તથા સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલના સંયુકત ઉપક્રમે આયોજીત નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ સેન્ટ ગાર્ગી સંકુલમાં રાખવામાં આવેલ હતો. જેમાં આશરે ૪૫૦ જેટલી બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા દિપકભાઈ ભટ્ટ, રમાબેન હેરભા, ભરતભાઈ હેરભા, દિક્ષિતાબેન ભટ્ટ, તૃપ્તીબેન વ્યાસ, શૈલેષભાઈ પંડયા, જયંતભાઈ પંડયા, જીજ્ઞેશભાઈ દવે, રવિભાઈ જોષી, કપિલભાઈ પંડયા, હર્ષદભાઈ ઉનાગર તેમજ નિષ્ણાંત ડોકટરો ડો.ઋષિત શેઠ અને ડો.કેરૂલ મારસોણિયાએ સેવા આપી હતી.

આ કાર્યક્રમના ઉદઘાટનમાં બીજેપી વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઈ રાડિયા, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, કોર્પોરેટર દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી કાળુમામા, કૌશિકભાઈ અઢીયા, નટુભાઈ કાપડીયા, જગદીશભાઈ આચાર્ય અને વોર્ડ નં.૨ના કાર્યકર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.