Abtak Media Google News

પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર નિરવ મોદી અને મોહુલ ચોક્સી અંગે કેન્દ્રીય તકેદારી પંચે મહત્વનો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે જણાવ્યુ કે, નિરવ મોદી અને ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોક્સીના કૌભાંડ અંગે એક વર્ષ પહેલા સુચના આપી દેવામાં આવી હતી.

પીએનબી અને એજન્સીઓ દ્વારા સમયસર નક્કર પગલા ભરવામાં નથી આવ્યા. જેથી નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ વિવિધ બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો. કેન્દ્રીય તકેદારી પંચે ઘરેણા સેક્ટરની અનિયમિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સીવીસીના વાર્ષિક રિપોર્ટ મુજબ આયોગે 5 જાન્યુઆરી, 2017ના રોજ સીબીઆઈ, ઈડીના વરિષ્ઠ અધિકારી અને પીએનબી સહિત 10 બેંકના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં કેટલીક જ્વેલરી ફર્મની અનિયમિતતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીવીસીના કે.વી ચૌધરીએ જણાવ્યુ કે, એન્જસીઓ દ્વારા સમયસર નક્કર પગલા ભરવામાં આવ્યા હોત તો પીએનબીમા કૌભાંડ ના થયું હોત.

મહત્વનુ છે કે ગત્ત દિવસે સીબીઆઈ કોર્ટે નિરવ મોદી અને મેહુલ ચોક્સી વિરૂદ્ઘ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.