Abtak Media Google News

ચીને ભારત દેશ પર કરેલા હુમલા બાદ રાજકોટના વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. ત્યારે ચીનના વિરોધમાં શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ શહેરના કોટેચા ચોક વિસ્તારમાં બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટના બેનરો લગાવવામાં આવ્યાં છે. ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુઓ અપનાવોના મોટા-મોટા બેનરો લગાવવામાં આવ્યાં છે.

આ રીતે ભારત પર  થયેલા હુમલાનો બદલો લેશે. આ અંગેના બેનરો પણ વેપારીઓએ પોતાની દુકાન બહાર મારી દીધા છે. ભારત પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ચાઈનીઝ વસ્તુઓને બહિષ્કાર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.