Abtak Media Google News

‘સુર્યશકિત કિસાન યોજના’ જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે

ખેડુતો માટે સરકારના ઐતિહાસિક પગલાથી હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલશે

સુર્યશકિત કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે તેમ સાંસદ પૂનમબેન માડમે જિલ્લામાં ખેડુતો માટેની સરકારની મહત્વની યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. ગુજરાત સરકારની ખેડુતો માટેની મહત્વની યોજનાનું જામનગર જિલ્લામાં સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પૂનમબેનએ જણાવ્યું હતું કે, સુર્યશકિત કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે. ગુજરાત સરકારની ખેડુતો માટેની મહત્વપૂર્ણ યોજના સુર્યશકિત કિસાન યોજનાનું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણાના ૬૬ કે.વી. સબ સ્ટેશનના મેથાણ ફીડરથી, લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યું હતું અને કુમારીકાઓએ સાંસદ પૂનમબેનનું કુમકુમ તિલક કરી મંગલમય વાતાવરણમાં હોંશભેર સ્વાગત કર્યું હતું.

આ તકે ખેડુતોને સંબોધન કરતી વેળાએ સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, જગતના તાતને વિજળી માટે સ્વાવલંબી બનવા બદલ હું અભિનંદન પાઠવું છું. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ધરતીપુત્રોને સન્માનભેર આત્મનિર્ભર બનાવવાની દિશામાં કૃષિ બિલ સુધારા-કિસાન સહાય પેકેજ, સાત પગલા ખેડુત કલ્યાણના, ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદી અને એ ઉપરાંત વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અને જગતના તાતને મદદ કરવા માટે લેવાયેલા અનેક પગલાઓથી ખેડુતો માટે ઐતિહાસિક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા છે. ખાસ કરીને સાંસદસભ્ય પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતો પરસેવો પાડી અથાગ જહેમત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે છે તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર સહયોગ હોય છે તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે. વાવણીથી વેચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને પણ સાંસદ પૂનમબેને આભાર વ્યકત કર્યો હતો. આ લોકાર્પણ સમારોહમાં જામનગર મહાનગર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, વાસ્મોના ડિરેકટર અમુભાઈ વૈશ્ર્નાણી, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડીયા, તાલુકા ભાજપ મહામંત્રી માયાભાઈ બડીયાવદરા, તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ બેરા, મેથાણના સરપંચ નંદલાલ સિદપરા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ જોષી, મોટી ગોપના પૂર્વ સરપંચ રાજાભાઈ નંદાણીયા તેમજ આજુબાજુના ગામોના સરપંચો, આગેવાનો, ખેડુતો તેમજ ગ્રામ્ય ભાઈઓ, બહેનો અને વીજ વિભાગોના બંને એકમોના તેમજ પંચાયત રેવન્યુના લગત અધિકારીઓ ટેકનીકલ ટીમ તેમજ સોલાર પેનલ નિષ્ણાંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ અમૃતિયાએ કર્યું હતું.

જામજોધપુરના સડોદરામાં ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ

Meter 12 4

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વપૂર્ણ યોજના સૂર્યશક્તિ કિસાન યોજનાનું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં, સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણાના ૬૬ કે.વી. સબસ્ટેશનના મેથાણ ફીડરથી, લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યુ હતુ અને કુમારીકાઓએ સાંસદ પૂનમબેનનુ કુમકુમ તિલક કરી મંગલમય વાતાવરણમાં હોંશભેર સ્વાગત કર્યુ હતુ. (તસવીર: ભરત ગોહિલ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.