Abtak Media Google News

એક દિવસ બંધ રહેલા ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી ૨ લાખના દાગીના અને ૨૫ હજાર રોકડા લઈ ગયા

મોરબીના મકનસર ગામે રહેતો રાજપૂત પરિવારને એક દિવસ માટે લગ્નમાં જવું રૂપિયા સવા બે લાખમાં પડ્યું છે, એક દિવસ બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ૨૫૦૦૦ રોકડા તથા બે લાખના દાગીના ઉઠાવી જતા ફરિયાદ નોંધાઇ છે.

Img 20180421 Wa0008ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગમે રહેતા ગીરીશભાઈ દેવીદાસભાઈ રાઠોડ અને તેમનો પરિવાર થાનગઢ ગામે લગ્ન પ્રસંગમાં જતા બંધ પડેલા મકાનને નિશાચરોએ નિશાન બનાવ્યું હતું ઘર તથા તિજોરીના તાળા તોડી અને ઘરમાં રહેલા રૂપિયા ૨૫૦૦૦ રોકડા તથા રૂપિયા બે લાખની કિંમતના ઘરેણાંની ચોરી કરી હતી.

Img 20180421 Wa0003આ મામલે મકાન માલિક ગીરીશભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Img 20180421 Wa0005 1(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.