Abtak Media Google News

રાજ્યના ૬૭ આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: હળવદના આસી.કલેક્ટર અજય દાહયાને પોરબંદરના ડીડીઓ તરીકે ચાર્જ સોંપાયો

રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે રાજ્યના ૬૭ સનદી અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.જેમાં મોરબીના જિલ્લા કલેકટર આઈ કે પટેલ ની ખેડા જિલ્લામાં બદલી કરવામાં આવી છે તેમના સ્થાને આર.જે.માકડિયા ને મૂકવામાં આવ્યા છે.આ સાથે હળવદના ડેપ્યુટી કલેકટર અજય દાહયા ની પણ બદલી કરવામાં આવી છે.

સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યના ૬૭ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે જેમાં મોરબીમાં ભારે લોકચાહના ધરાવનાર જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની ખેડા બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ આર.જે.માકડિયા ની નિમણૂક કરવામાં આવી છે તેઓ મોરબી જિલ્લા કલેકટર તરીકે ટુક સમયમાં જ ચાર્જ સંભાળશે

આ ઉપરાંત હળવદના ડેપ્યુટી કલેક્ટર અજય દાહયાની પણ બદલી કરવામાં આવી છે તેઓને પોરબંદરમાં ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.