Abtak Media Google News

તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં અમ્ફાન નામક વાવાઝોડાથી અલ્કપનીય તારાજી સર્જાઈ છે. બંને રાજ્યોના અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ બંને રાજ્યોના મૃતકો જેની સંખ્યા હાલમાં ૮૫ જેટલી થવા જાય છે. તેમના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. બંને રાજ્યોમાં આ વાવાઝોડાથી યેલા નુકશાન અને મૃત્યુની હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે. તે વધશે તો તે પ્રમાણે વધુ સહાય પણ રામકાના કોલકત્તા સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીની આ સહાયની રકમ રૂપિયા ચાર લાખ પચીસ હજાર વા જાય છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.