Abtak Media Google News

નોર્થ ગુજરાતની નવસર્જન યાત્રામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

જેવી રીતે જાદુગરો મેજીક ટ્રીકમાં પૈસા ગાયબ કરી લોકોને આશ્ર્ચર્યચક્તિ કરી દે છે તેવી રીતે મોદી છેલ્લા ૨૨ વર્ષથી જાદુ કરી નાણા ગાયબ કરી રહ્યાં છે તેવું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોર્થ ગુજરાતની નવસર્જન યાત્રા દરમિયાન કહ્યું હતું.

નોર્થ ગુજરાતમાં કોંગ્રેસની નવસર્જન યાત્રાના ત્રીજા અને છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ મહેસાણામાં લોકોને સંબોધ્યા હતા. તેમણે પાટીદારોને લક્ષ્યમાં રાખી કહ્યું હતું કે, આ એ જ સ્થળે જયાં તમને લાકડીથી માર મારવામાં આવ્યો, તમારા પર ગોળીઓ છોડાઈ. કોંગ્રેસ બધાની પાર્ટી છે, માત્ર મારી એકલાની નહીં. કોંગ્રેસ સરદારની પાર્ટી છે. તેમના આ નિવેદન બાદ હાજર ટોળામાં જય સરદારના નારા ગુંજી ઉઠયા હતા.

ગઈકાલે રાહુલ ગાંધીએ ચૂંટણીનો પ્રચાર વીર મેઘમાયા મંદિર ખાતેથી શ‚ કર્યો હતો. આ મંદિર દલિત સમાજ માટે ખાસ છે. ત્યારબાદ તેમણે કુંઘેર, અદિયા, બોરાટવાળા, ખારીજ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. અહીં રોડ-શોમાં અનેક લોકો હાજર રહ્યાં હતા. મહેસાણામાં તેમણે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજે જો માતા-પિતા બાળકને ભણાવી ડોકટર કે એન્જીનીયર બનાવવાના સપના જુએ તો ધરણા કરવા પડે છે અને ગોળીઓ પણ ખાવી પડે છે. બીજી તરફ ગુજરાત સરકાર કંપનીઓને ૩૩૦૦૦ કરોડનો ફાયદો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.