Abtak Media Google News

નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર ગુરુવારે બીજી વાર શપથ લેશે. આ પહેલાં નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારપછી તેઓ શહીદોને શ્રદ્ધા સુમન અર્પિત કરવા વોર મેમોરિયલ પહોંચ્યા હતા.

તેમની સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા પછી નરેન્દ્ર મોદીએ તેમના માટે એક ટ્વિટ પણ કરી હતી.અટલ સમાધિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, અમે દરેક ક્ષણે પ્રેમાળ અટલજીને યાદ કરીએ છીએ. તેમને જોઈને ખુશી થશે કે બીજેપીને લોકોની સેવા કરવાનો આટલો સારો મોકો મળ્યો છે. અટલજીના જીવન અને કાર્યથી પ્રેરિત થઈને અમે સુશાસન અને લોકોના જીવનને બદલવાનો પ્રયત્ન કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.