Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત સૌ આગેવાનોને ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતુ.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ લોકસભાના ઐતિહાસિક જનાદેશ બાદ આપણી જવાબદારીઓ પણ ખુબ વધી જાય છે. સમાજનો જેમ જેમ વિસ્તાર થતો જાય તેમ તેમ ભાજપાની વિચારધારાનો વ્યાપ પણ થતો રહેવો જોઇએ. ભવિષ્યના ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ સંગઠન પર્વ દ્વારા થાય છે ત્યારે, સમાજના દરેક વિસ્તારોનો દરેક વર્ગ ભાજપા સાથે જોડાય તે રીતે સદસ્યતા વૃધ્ધિ અભિયાન દ્વારા દરેક બુથ સુધી ભાજપાનો વ્યાપ વધુને વધુ મજબૂત બનાવીએ.

આ બેઠકમાં ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવભાઇ ભટ્ટ, સંગઠન પર્વના પ્રદેશ સહ સંયોજક  રજનીભાઇ પટેલ, સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી દિલીપભાઇ સાંઘાણી, સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, સહકારી આગેવાન  દોલરભાઇ કોટેચા, નરહરિભાઇ અમીન તથા ગુજરાતભરના વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.