Abtak Media Google News

મનપાના હોદેદારોની ટર્મ પુરી થતા થવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં મેયર બીનાબેન આચાર્ય, ઉદયભાઇ કાનગડ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અશ્વીનભાઇ ભોલીયા ડે. મેરયની પદવી મળેલ હતી તથા વિવિધ સમીતીઓના ચેરમેનોની પણ નિમણુંક કરવામાં આવી હતી.

ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ અને ગુજરાત રાજય ઓબીસી પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્ર સોલંકીની અઘ્યક્ષતામાં રાજકોટ મનપાના તમામ નવનિયુકત હોદેદારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજકોટ મનપાના અન્ય ચુંટાયેલા નવનિયુકત પદાધિકારીઓ અંજનાબેન મોરઝરીયા, માઘ્યમીક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમીતી, જયાબેન ડાંગર, હાઉસીઁગ ઇમ્પૂવ્મેન્ટ અને કલીયરન્સો સમીતી, વિજયાબેન વાછાણી, બાગ બગીચા અને ઝુ સમીતી, પ્રીતીબેન પનારા, એસ્ટેટ મેનેજમેન્ટ સમીતી, રુપાબેન શિલુ શિશુ કલ્યાણ અગ્નિશામક સમીતી, મનીષભાઇ રાડીયા બાંધકામ સમીતીના વિગેરે જુદી જુદી  સમીટી મેમ્બરના ચેરમેનોનું જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત શ્યામવાડી ટ્રસ્ટ સમીતી, શ્યામમંદીર સમીતી મોહન માઁડણ વિગઘાથી ભવન વગેરે સમીતીઓના હોદેદારો અને સમાજના અન્ય આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી તથા બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.