Abtak Media Google News

હાલ કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાને લઈ મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સૌરાષ્ટ્ર દ્વારા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૬ જુલાઈ સુધી મહુવા માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે માત્ર શાકભાજી માર્કેટ ચાલુ રહેશે તેમ સર્વે ખેડુત ભાઈઓ અને વેપારી ભાઈઓએ નોંધ લેવી તેમ સેક્રેટરી વી.પી. પાંચાણીની યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.