હાલ કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાને લઈ મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સૌરાષ્ટ્ર દ્વારા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૬ જુલાઈ સુધી મહુવા માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે માત્ર શાકભાજી માર્કેટ ચાલુ રહેશે તેમ સર્વે ખેડુત ભાઈઓ અને વેપારી ભાઈઓએ નોંધ લેવી તેમ સેક્રેટરી વી.પી. પાંચાણીની યાદીમાં જણાવાયું છે
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી