Abtak Media Google News

નવસારીના ગણદેવી રોડ ઉપર આવેલ નવાગામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાન  સ્વામિનારાયણનો  પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.  અત્રેની ધર્મજીવન સંસ્કૃત પાઠશાળામાં  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી  દેવકૃષ્ણદાસજી સ્વામીના ૩૫ સંત શિષ્યો અભ્યાસ કરી રહ્યા છે. સંતો ને આરાધના કરવા માટે ૨ વર્ષ પહેલાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદિ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે  ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. જેને બે વર્ષ પૂર્ણ થતા આજે ભગવાન  સ્વામિનારાયણનું સંતોએ મહાપૂજન કરેલ.  પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અત્રે અભ્યાસ કરતા સંતોએ વૈદિક વિધિથી ઉપનિષદ આદિ શાસ્ત્રોના મંત્ર ગાન સાથે ભગવાન સ્વામિનારાયણનું પંચામૃત તથા વિવિધ રસ, તથા ફુલ પાંખડીઓથી  પ્રભુ સ્વામી તેમજ પાઠશાળાના સર્વે સંતો તથા પાર્ષદોએ ભગવાન ને  અભિષેક કરેલ .

વિશ્વને કોરોનાની પીડાથી મુક્ત કરવા, સંતોએ ભગવાનની આગળ આખો દિવસ કીર્તન ભક્તિ, શાસ્ત્ર વાંચન, દંડવત,  માળા, મંત્ર જપ, પ્રદક્ષિણા વગેરે કરેલ.  હરિ મુકુંદ સ્વામી તથા   જગત પાવન દાસજી સ્વામીએ ઠાકોરજીની મહા નિરાજન આરતી કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.