Abtak Media Google News

ચોમાસા પૂર્વે ગટરનું સમારકામ કરવાની રહીશોની માંગ.

મોરબીના નવલખી રોડ પર આવેલ સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યાથી બેફામ ગંદકી જામી રહી છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર, ભગવતીનગર , રોયલ પાર્ક સહિતની સોસાયટીઓના મેઈન રોડ પર ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૨ વર્ષથી આ સોસાયટીની ગટરની સફાઈ કરવામાં આવી નથી. પરિણામે ગટરો ચોકઅપ થઈ જવા પામી છે.
રોડ પર ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે ચોમાસા પૂર્વે ગટરનું કામ પૂર્ણ કરવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. સાથે નવલખી રોડ પર આવેલ ફૂટપાથ પણ તૂટી ગયો છે. ત્યારે તંત્ર દ્વારા ફૂટપાથની પણ મરમત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.