Abtak Media Google News

આચારસંહિતાના કારણે પ્રવાસન વિભાગ દ્વારા જાકમજાળ જાહેરાતો કરાઇ નહીં

વિધાનસભાની ચૂંટણીને લઇને આચારસંહિતા લાગેલી હોવાને કારણે પ્રવાસન વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની જાકમજાળ વગર જ બુધવારથી રણોત્સવનો વિધિવત પ્રારંભ કરી દીધો છે. એટલું જ નહીં પ્રવાસીઓનાં આકર્ષણમાં ઉમેરો કરવા માટે આગામી ૪થી નવેમ્બરે પૂનમના દિવસે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છનાં સફેદ રણની મુલાકાત લેશે. ટેન્ટ સીટીનાં કોન્ટ્રાક્ટર ભાવિક શેઠે જણાવ્યું હતું કે, નિયત કરેલ ૧લી નવેમ્બરે રણોત્સવનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે જ મોટીસંખ્યામાં પ્રવાસીઓ ટેન્ટ સિટીનાં મહેમાન બન્યા છે. હાલ રણમાં રસ્તાની આજુબાજુમાં પાણી ભરાયેલુ હોવાથી ટેન્ટ સિટીથી દુર અંદાજે ૧૩ કિમી અંદરના ભાગમાં પ્રવાસીઓને સફેદ રણનો નજારો જોવા માટે લઇ જવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.