Abtak Media Google News

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે કુંભમાં મેળામાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે મોડી રાતે બિહારના રાજ્યપાલ લાલજી ટંડનના ટેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને ટેન્ટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો.

Screenshot 4 6

વધુ વિગત મળતા જાણવા મળ્યું છે કે, મંગળવારે મોડી રાત્રે અઢી વાગે બિહારના રાજયપાલ લાલજી ટંડનના ટેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને ટેન્ટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં લાલજી ટંડનને કોઈ ઈજા નથી થઈ ન હતી પરંતુ લાલજી ટંડનને માંડ માંડ બચાવવામાં આવ્યા હતાં. આ ઘટનામાં તેમનો મોબાઈલ, ચશ્મા, ઘડિયાળ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. લાલજી ટંડનને રાતે સાડા ત્રણ વાગતા પ્રયાગરાજના સર્કિટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

Screenshot 5 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.