Abtak Media Google News

દર્દીનારાયણની સેવામાંજ જેમને સંતોષ છે તેવા ૫૫ વર્ષિય રૂકશાનાબેન સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ હોવા છતાં આ નર્સ બહેને ફરજને પ્રાધાન્ય આપી કોરોના વોર્ડમા ફરજ બજાવી હતી.

હોસ્પિટલમાં માડીના માનવાચક નામથી ઓળખાતા રૂકશાનાબેન સોમવારે રજા રાખી ઈદ ના પવિત્ર તહેવારની ઉજવણી કરવાના બદલે કોરોના મૂક્ત થયેલા ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ઈદની ઉજવણીના બદલે ફરજ પરસ્તી દાખવી દર્દીઓ સ્વસ્થ થાય, સ્વસ્થ રહે તેવી અલ્લાતાલા પાસે દિલથી દુવા માગતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.