Abtak Media Google News

ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના ઉપક્રમે મહાનગરપાલીકાના નવા નિમાયેલા મેયર, ડે.મેયરનું બહુમાન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Advertisement

સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ. રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૩૭ વર્ષથી રહીશોના ઉત્કર્ષ માટે સામાજીક, સેવાકીય, ઉત્સવો, રાષ્ટ્રીય ત્યૌહાર ઉપરાંત રાજય તેમજ કેન્દ્ર સરકારના વિકાસશીલ કાર્યક્રમોમા ભાગ લઈ ઉતરદાયિત્વ બજાવે છે.

મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયાએ શુભેચ્છા સ્વીકારી રહીશોના પ્રશ્ર્નોના ઉકેલ માટે તત્પરતા બતાવી આભારની લાગણી બતાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.