Abtak Media Google News

જેટ એરવેઝના એક સિનિયર ટેક્નિશિયન શૈલેષ સિંહએ મુંબઈના પાલઘરમાં આવેલા નાલાસોપારામાં એક ચાર માળની બિલ્ડિંગના ધાબાથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 43 વર્ષના શૈલેષ કેન્સર પીડિત હતા અને આર્થિક તંગીને કારણે ખુબ જ તણાવમાં પણ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને પોતાના એપાર્ટમેન્ટના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

આ ઘટનાની માહિતી પ્રાપ્ત કર્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ મોકલ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે પોલીસ ઘરના લોકોની પૂછપરછ કરી રહી છે. ઘટના પછી પોલીસે કહ્યું કે શૈલેષ સિંહ કેન્સરથી પીડિતા હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં તે ખૂબ જ અસ્વસ્થ હતા. પોલીસે કહ્યું કે ઘરના લોકોની માહિતી અનુસાર, તેમને આ અઠવાડિયે કેમો થેરપી પણ કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.