જસદણમાં રવિવારે વહેલી સવારે સ્મશાનની દાનપેટી ને તસ્ક્રએ નિશાન બનાવી એમાંથી રોકડ લઈ છું થઈ જતા આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જસદણના વિવેકાનંદ મોક્ષધામની અડીને આવેલ સ્મશાનની મેલડી માતાજીના મંદિરે રવિવારે સવારે એક તસ્કર દાનપેટી તોડી અને રકમ લઈ ફરાર થઈ ગયાની ઘટના સીસી ટીવી ફૂટેજમાં ધ્યાને આવી હતી આ ઘટના રવિવારે વહેલી સવારે ૫.૪૫ કલાકેના સુમારે બનેલ હતી ત્યારબાદ મંદિરનાં સંચાલકો ને દાનપેટી તૂટેલી જણાતા તેઓએ પોલીસ મથકે જાણ કરતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોચી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. દાન પેટીમાં કેટલી રોકડ હતી તે હજુ જાણવા મળેલ નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો