Abtak Media Google News

આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા પ્રેમીયુગલે ભરનિંદ્રામાં યુવાનનું ઢીમ ઢાળી દીધું

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનની તેની જ પત્નિ પ્રેમીની મદદથી પ્રેમસંબંધમાં આડખીલીરૂપ હોવાથી હત્યા નિપજાવાઈ હતી. જામનગરમાં કામદાર કોલોની શેરી નં.૧માં રહેતા નટવરલાલ હરજીભાઈ થાનકી નામના ૪૮ વર્ષના વિપ્ર યુવાનની તેની જ પત્નિ મંજુલા ઉર્ફે મીના અને તેણીના પ્રેમી ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના દેવાણંદ અરજણ આહીરની મદદથી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી અને બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રેમમાં અંધ બની ગયેલી પત્નિનો ભાંડો ફુટી ગયા પછી સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં પત્નિ મંજુલા ઉર્ફે મીના અને પ્રેમી દેવાણંદ સામે આઈપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પત્નિ મંજુલા અને તેણીના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે અને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથધરી છે.

પોલીસ પુછપરછ દરમ્યાન પ્રેમી અને પ્રેમીકા બન્ને એક જ ગામના વતની છે અને અગાઉથી જ પરીચયમાં હતા અને ઘરમાં આવન-જાવન ચાલુ રહેતી હતી જે લગ્ન પછી પણ માવતરે જતી વખતે મળવાનું થતું રહેતું હતું.

છેલ્લા ત્રણેક વર્ષથી બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ પણ બંધાયો હતો. જયારે બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઈ ચુકયા છે.

બન્ને પ્રેમમાં આડખીલીરૂપે પતિનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડયો હતો જે મુજબ બનાવની આગલી રાત્રે પ્રેમી દેવાણંદ તેણીના ઘેર રોકાવા આવી ગયો હતો.

મોડી રાત્રે પતિ નટવરલાલ ઉંધી ગયો હતો અને નિંદ્રાધીન અવસ્થામાં હતો તે જ સ્થિતિમાં તેના પર લોખંડના સળીયાથી પ્રહાર કરી ઢીમ ઢાળી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.