Abtak Media Google News

પંડીત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ અંતર્ગત એવોર્ડ એનાયત કરાયો.

જામજોધપુર તાલુકા પંચાયત તેમના સુદ્રઢ અને સુચારું વહિવટના કારણે આગવી સેવાઓને લીધે રાજયની શ્રેષ્ઠ તાલુકા પંચાયતમાં અવ્વલ દરજજો મેળવીને પંડીત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ અંતર્ગત પ્રધાનમંત્રીના હસ્તે જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન રમેશભાઈ કાલરીયાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૬ મહિના પહેલા સરકાર નિયુકત ટીમ દ્વારા રાજયની દરેક તાલુકા પંચાયતમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેમાં જામજોધપુર તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયતમાં પ્રથમ ક્રમાંકે આવતા નવી રાહ મળી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.