Abtak Media Google News

રોગનો ફેલાવો કરતાં વિવિધ માધ્યમો વિશે સૌએ જાણવાની જરૂર છે.સૌપ્રથમ તો હવા-પાણી, મળ, ખોરાક, માખી, કિટકો, પ્રાણીઓનો સંસર્ગ-માનવશરીર, રોગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાં રોગ કારક સુક્ષ્મોજીવો અને માનવ સંસર્ગએ બે મુખ્ય બાબત સાથે આવા પરિબળો જોડાયેલ છે. આજે બધાએ રોગચાળો શું છે.?એ માહીતી જાણવી જરૂરી છે.

કેટલીક વખત કોઈ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં અચાનક અને અણધાર્યા કોઈ એક રોગના અસંખ્ય દર્દીઓ નોંધાય તેને રોગચાળો કહે છે.ઘણી વખત રોગચાળાના કારણે વધુ પડતા માંગદીના કેસો ઉપરાંત મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાની શકયતાઓ હોય છે.આવા સમયે વ્યકિગત ભૂમિકા અને લોક સહયોગ જરૂરી છે.

રોગચાળા સમયે જન સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાતો હોય ત્યારે  રોગચાળાની પરિસ્થિતિને નિણંત્રણમાં લેવા માટે કયારેક શિક્ષાત્મક પગલા લેવાની જરૂર પડે છે.ત્યારે સહાય ભુત થવા માટે સરકારને જેતે વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવો પડે છે. સામાન્ય જે તે વિસ્તારમાં રોગનો ઉપદ્રવ જે કારણસર થતો હોય તે કારણોને નિયંત્રણ કે નાબુદ કરવાનો લોક સહકાર અનિવાર્ય બની રહે છે.

આપણાં ગુજરાતના ઘણાં નગરો શહેરોમાં અવાર-નવાર કમળો ફાટી નીકળે છે.આવા વિસ્તારોની તપાસ કરતાં માલુમ પડયું કે પીવાના પાણીનો પાઈપલાઈનમાં ગટરનું દુષિત પાણી પ્રવેશી જતાં રોગચાળો અવારનવાર ફાટી નીકળે છે.આ નિરાકરણ જુની સડી ગયેલ પાઈપલાઈન બદલતા મુશ્કેલી દુર થઈ આમા પણ લોકોએ વિરોધ કર્યોે કારણકે ગેરકાયદે લીધેલા કનેકશન કયાય જશેનાં ડરથી વિરોધ થયો હતો તેથી પણ આસંજોગોમાં લોક સહકાર જરૂરી છે.

Knowledge Corner Logo 3

રોગચાળાની કે સામાન્ય પરિસ્થિતિમાં પણ ચેપીરોગનાં નિયંત્રણ અને અટકાયત માટે સહયોગ અત્યંત આવશ્યક છે.જેમાં પીવાના પાણીનો પુરતી સ્વચ્છા રાખવી, વહિવટીતંત્રની સુચનાઓનું પાલન કરવું સુકોભિનો કચરો અલગ રાખી તેનો વૈજ્ઞાનિક ઢબેનિકાલ કરવો, ઘર-આંગણામાં માખી-મચ્છરોનો ઉપદ્રવ નથાય તેની કાળજી વિવિધ રસી મુકવવી, જાહેર જળાશયો દુુષિત નકરવા, જાહેર સ્થળોની સ્વચ્છતા,ખુલ્લામાં વેચાતા શાકભાજી, ફળો, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, જાહેર સ્વચ્છતા સંકુલોની જાળવણી દુષિત ખોરાક કે પાણી જાણે -અજાણે પણ લેવાયતો ખોરાકી ઝેરની અસર, રોગચાળા દરમ્યાન જેતે રોગોનો ઉપદ્રવના ચિન્હો ફેલાવાનાં માર્ગોની જાણકારી મેળવવી, અને તેમાં નિયંત્રણ માટે પગલા ભરવા રોગચાળા દરમ્યાન વધુ પડતી બિમારી, રોગ પ્રતિકારક શકિતનો ઘટાડો કરે છે.પરિણામે નબળાઈ આવવી સામાન્ય થઈ પડે છે.ઈમ્યુન સીસ્ટમ ઘટવાથી ક્ષય, ન્યુમોનીયા, જેવા રોગોનો ભોગ બનવાની શકયતાઓ વધે છે.આ માટે સૌની વ્યકિતગત ભૂમિકા મહત્વની રહે છે. રોગની અટકાયત માટે રોગ કારક સુક્ષ્મ બનાવવી, તથા પર્યાવરણના દુષણને અંકુશમાં રાખવું.

ઈ.સ. ૧૯૪૮માં જીનીવા ખાતે આરોગ્ય વિષયક બાબતો માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની રચના કરાય હતી.દુનિયાના લોકોના શારિરીક-માનસિક આરોગ્યમાં સુધારો થાય પ્રયાસો થાય તે તેનું મુખ્ય કાર્ય છે.વિશ્ર્વમાં ચેપી અને ઘાતક રોગોની નાબુદી, મૃત્યુદરમાં ઘટાડો એમાં પણ ખાસ કરીને બાળમુત્યુમાં ઘટાડો થાય, લોકોમાં રોગ પ્રતિકાર ક્ષમતા વૃધ્ધી, તેમજ આરોગ્ય તબીબી શિક્ષણ,તાલિમ અને સંશોધન જેવી મહત્વની કામગીરી માટે આ સંસ્થા તેના સભ્ય દેશોના સહકારથી અસરકારક ભૂમિકા ભજવે છે.

આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય

પરદેશમાં આવન જીવનનાં હેતુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિનિધિન વૃધ્ધી જોવા મળી રહી છે.આ સંજોગોમાં ચેપીરોગોનો ફેલાવો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમો અને ઉપાયો નકકી કરાયા છે.વિદેશ જવાની વિઝા મેળવવા જે તે દેશનાં નિયમ પ્રમાણે તબીબી તપાસ, ડો.સર્ટી રજૂકરવા પડે છે.આફ્રિકાનાં દેશોમાં જવા પેલોફિવર વેકસીન મુકાવવું ફરજીયાત છે.પરદેશ જતી વ્યકિતઓને ખાદ્યસામગ્રી ખુલ્લી લઈ જવાની છુટ નથી.યોગ્ય રીતે ડબ્બામાં કે સીલબંધ પેકીંગ કરવું ફરજીયાત છે.પછીજ લઈ જવાની છુટ મળે છે.સ્વાસ્થ્ય સુરક્ષા કાજે વિમાન મથકે વિમાનનું ફયુમીગેશન કરાય છે.ખાસ પ્રકારના વાયુંથી જીવાણું અને વિષાણું રહિત બનેલું વિમાન રોગને ફેલાતો અટકાવે છે.

કેટલીકવાર મુસાફરી પુરી થતાં પહેલા ખબર પડે કે મુસાફરી કરનાર વ્યકિતને ચેપી રોગ છે તો તે સંજોગોમાં તે મુસાફરને વિમાન મથકે અથવા જે તે દેશમાં ખાસ વ્યવસ્થા વાળી હોસ્પિટલમાં દાખલ કરાય છે.અને અમુક ચોકકસ ગાળા સુધી તેને તે દેશમાં દાખલ થવા દેતા નથી.આને”કવરિન્ટાઈન કહે છે.જુદા જુદા રોગો માટે આ સમય ગાળો અલગ-અલગ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.