Abtak Media Google News

ખોટી અફવાથી દૂર રહેવું: મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા

વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતી ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન અને વાવાઝોડા અને પુર પછી લોકોએ કેવી સાવચેતી જાળવવી તે અંગે ફાયર અને ઇમરજન્સી વિભાગે માહિતી આપી હતી. વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી. શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી. વાવાઝોડા અને પુરની પરિસ્થિતી સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી. ઘરના તા છાપરાનું મજબુતી કરણ કરવું. જો વાવાઝોડું કે પુર આવે તો વીજળી અવર-જવરના પ્રશ્નો તા હોય તે માટે પોત-પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, જેનાી સંકટ પરિસ્થિતીમાં મોબાઈલ દ્વારા સંપર્ક સાધી શકાઈ. વાવાઝોડા કે પુરના સમાચારો અને ચેતવણીઓ ટી.વી. રેડિયોમા સતત સાંભળતા રહેવું.

વાવાઝોડા અને પુર દરમ્યાન જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી. વાવાઝોડા અને પુર દરમ્યાન બહાર નીકળવાનું ટાળો. જો આ સમયે ઘર ખાલી કરવાની સુચના ન મળી હોઈ તો ઘરના મજબુત ભાગમાં આશરો શોધી અંદરજ રહેવું જોઈએ. વાવાઝોડા અને પુર સમયે રેલ્વે અને દરિયાઈ મુશાફરી કરવી નહિ. માછીમારો એ દરિયામાં જવું નહી અને હોડીઓને સલામત સ્ળે રાખવી. બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળવું. ઘરની બહાર ખુલ્લા છુટા પડેલ વાયરો ને અડકવા નહી.વીજળીના તારી દુર રહેવું થાંભલા કે વીજ ઉપકરણોને અડશો નહી.

વાવાઝોડા અને પુર પછી નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી. ઈજા પામેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવા. ફોન નો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કરવો. જો ઘરમાં કોઈ પણ પ્રકારની નુકશાની ન ય હોય તોજ તે ઘરમાં રહેવું. બહાર નીકળતા પહેલા વાવાઝોડું કે પુર પસાર ય ચૂક્યું છે હવે કોઈ જાત નો ડર ની તોજ ઘરની બહાર નીકળવું. સનિક અધિકારીઓની સુચના મળે તેમનું અચૂક પાલન કરવું જોઈએ. રેડિયો કે ટી.વી.ઉપર સલામતી નો સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી રાહ જોવી. તૂટેલા વીજળીના તાર, પુલ.તા મકાનોથી દુર રહેવું. કાટમાળમાથી પસાર તા પતરા, કાચના ટુકડા, સાપ જેવા ઝેરી જીવજંતુી સાવધાન રહેવું. પૂરગ્રસ્ત વિસ્તારોથી દુર રહેવું.

કપડા જરૂરી દવાઓ કીમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો, વગેરેને વોટરપ્રૂફ પેકીંગમાં બાંધી સો રાખવા. ફર્નીચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઉંચે મૂકી રાખો. આરોગ્ય વિભાગની સુચના મુજબ ઉકાળેલું જ પાણી પીવાનો અવા પાણીને જંતુમુક્ત કરી પીવું જોઈએ. ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ. મલેરિયા થી બચવા માટે મચ્છરદાની નો ઉપયોગ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.