Abtak Media Google News

નર્મદાના નીર આજી ડેમમાં ઠલવાતારાજકોમાં લોકોત્સવ જેવો માહોલ કાનગડ-શુક્લ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના શુકનવંતા કામનું લોકાર્પણ કરવાના છે ત્યારે શહેરભરમાં લોકોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ પાણીની સમસ્યામાંી કાયમી ધોરણે મુક્તિ મળી રહી છે તે ઐતિહાસીક અવસર કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ી સહન તો ન હોય તેમ તેઓ પાણીમાંી પોરા કાઢી રહ્યાં છે. વાસ્તવમાં તેઓએ રાજકોટ પૂર્વના મતદારો સો દગો કેમ કર્યો તેની ચોખવટ કરવી જોઈએ તેમ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ અને સ્ટે.કમિટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદાના નીરનું આજીમાં અવતરણ ઈ રહ્યું છે. રાજકોટની પીડાનો કાયમી ધોરણે નિકાલ ઈ રહયો છે તે વાતની ખુશી લાખો લોકોમાં જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પાણીમાંી પોરા કાઢી રહ્યાં છે. પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટમાં પાણીની ખુબ મોટી સમસ્યા હતી. પરંતુ રાજયમાં ભાજપની સરકાર આવ્યા બાદ નર્મદાના પાણી પાઈપ લાઈન અને કેનાલ દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડયા છે. હાલ આજી કે ભાદરમાં પાણી ન હોવા છતાં ભાજપના શાસકોએ પાણીકાપ વિના લોકોને નિયમીત પાણી પૂરું પાડયું છે. શહેરમાં કોઈપણ પ્રકારની તકલીફ ની છતાં વિપક્ષની આંખમાં કમળો હોય તેમ બધુ જ પીળુ દેખાઈ છે. લોકોને એવો પૂર્ણ વિશ્ર્વાસ છે કે ભાજપ જ પાણીની સમસ્યામાંી મુક્તિ અપાવશે તેી સત્તા ભાજપને સોંપી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે પોતાના જીવનની પ્રમ ચૂંટણી રાજકોટમાંી લડયા હતા ત્યારે તેઓએ રાજકોટની કરવાનું વચન આપ્યું હતું. આજે તેઓએ વચન પરિપૂર્ણ કર્યું છે. જે ગૌરવની વાત છે અને તેઓ રાજકોટનું ઋણ ચૂકવવા માટે ઘર આંગણે આવી રહ્યાં હોય તેવું લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, વડાપ્રધાન મહાન વ્યક્તિ છે. તેઓ તેમની પત્ની સો રેડકાર્પેટ બિછાવી નરેન્દ્રભાઈ મોદીની રાહ જોતા હતા તે ભારત માટે ઐતિહાસીક ક્ષણ છે. આજી શુદ્ધીકરણને લઈ પોલીટીકલી ચર્ચા ઈ રહી છે તે પણ યુવાનો માટે એક સ્વપ્ન છે. જે પક્ષ કામ કરે છે તેની પાસે લોકોને અપેક્ષા છે. કોંગ્રેસ વાહયાત વાતો કરે છે અને તેઓને આશ્ર્ચર્યજનક કાર્યક્રમ એટલે પોસ્ટરો ફાડવા બીજી કશું નહીં.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ઈન્દ્રનીલ રાજયગુરુની એક આદત છે કે જોરી અને વારંવાર જુઠ્ઠુ બોલવું, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના મતદારોએ તેના પર વિશ્ર્વાસ મુકી તેમને ધારાસભ્ય બનાવ્યા પરંતુ આજે તેઓએ તેના મતદાર સો દગો કર્યો છે અને અન્ય બેઠક પરી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. મુખ્યમંત્રીને હરાવવા નીકળેલા કોંગી ધારાસભ્યને જનતા ઘરનો દરવાજો દેખાડી દેશે.

સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલએ જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આજીમાં આવવાનું શ‚ ઈ ગયું છે ત્યારી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કોઈપણ રાજકીય પક્ષ હોય તેઓએ પાણી અંગે શાસકોનો સા આપવો જોઈએ. ૧૨૦ દિવસમાં ભાજપ સરકારે નર્મદાના પાણી આજી ડેમમાં પહોંચાડયા છે. વિપક્ષને જનરલ બોર્ડમાં પણ પાણી પ્રશ્ર્ને હોબાળો કરવાની આદત છે. વાસ્તવમાં શહેરમાં પાણીની એક પણ પ્રકારની સમસ્યા ની.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં એક પણ બેઠક જીતશે નહીં. હાલ વિજયભાઈ ‚પાણી જે રીતે શાસન કરી રહ્યાં છે તે રીતે ભાજપને જનતા જર્નાદન પર પૂરો વિશ્ર્વાસ છે કે ચૂંટણીમાં ભાજપ ૧૫૦ી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક સરળતાી પૂર્ણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.