Abtak Media Google News

ભવ્ય આતશબાજી, મીઠાઈઓ વહેંચાય: કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ:ભાજપ પર આકરા પ્રહારો

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે આજે ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગૂ‚એ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કુંવરજીભાઈ બાવળીયાના સ્થાને રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગૂ‚ની વરણી કરવામાં આવી છે. આજે ગણેશ ચતુર્થીના શુભ દિને સવારે તેઓએ કોંગ્રેસ પ્રમુખનો તાજ ધારણ કરી લીધો હતો. જિલ્લા પંચાયત ચોક સ્થિત તેઓના ધારાસભ્યના કાર્યાલય ખાતે આ તકે કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી તથા મીઠાઈ વહેચવામાં આવી હતી લોક પ્રશ્ર્ને સતત લડતા ઈન્દ્રનીલભાઈ રાજયગૂ‚ની પ્રમુખ પદે વરણી કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસમાં એક નવા જ પ્રકારનાં ઉત્સાહનો સંચાર થયો છે. કાર્યકરોમાં આજે જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ઈન્દ્રનીલભાઈને ખંભે બેસાડીને આવકાર્યા હતા.આ તકે નવનિયુકત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગૂ‚એ જણાવ્યું હતુ કે ભાજપ સામે લડવાનો કોંગ્રેસનો કયારેય જુથવાદ આવ્યો નથી. કુંવરજીભાઈ અને પાર્ટીની સહમતીથી પ્રમુખ બન્યો છું સૌને સાથે રાખી અમારી લડાઈ ભાજપ સામેની છે. તેમાં દરેક કાર્યકર્તા ખંભેખંભો મીલાવીને કામ કરશું રાજકોટમાં અમારી પાર્ટી લડાઈ લડવાની છે.જે ગુજરાતનાં ઈતિહાસમાં પણ થઈ નહી હોય.વિજયભાઈ ‚પાણી જયારે કહેતા હોય કે ફેકચરવાળી કોંગ્રેસ છે રાજકોટ શહેરની ફેકચરવાળી કોંગ્રેસ પાર્ટી હોય તો ભાજપ સરકારે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સીટ શોધવાનું ચાલુ કરી દીધું છે. હવે તો કોંગ્રેસ પાર્ટી સંગઠીત થઈ છે. ભાજપને મારી વિનંતી છે કે, વિજયભાઈ ‚પાણીની જીતની આશા હોય તો રાજકોટથી તેમને સીટ બદલવા ન દેતા.ભાજપ પર પ્રહાર કરતા ઈન્દ્રનીલ રાજયગૂ‚એ જણાવ્યું હતુ કે અમારી પાર્ટીનાં કાર્યકર્તા ભાજપે અડવાનો પ્રયત્ન કર્યો તો વિજયભાઈ સહિતના નેતાઓ યાદ રાખે કે આખી જીંદગી રાજકોટમાં રહેવાનું છે. આ વખતેની ચૂંટણી ન્યાયીક રીતે થાય અને જો નહી થાય તો વ્યકિતગત લડાઈમાં પરિવર્તિત થશે. ભાજપ સરકાર ખોટી વાતો બંધ કરે. ન્યાયીક ધોરણે ચૂંટણી લડી રાજકોટમાં લડીને બતાવશું.પ્રજાને સંદેશો આપતા જણાવ્યું હતુ કે સમજીને સાચી વ્યકિતને પ્રજા મત આપે દરેક વ્યકિત એવું માને કે ભ્રષ્ટાચારને સહજ રીતે પ્રજા લે છે. સાચા નેતાને ચૂંટવાનું ચાલુ કરો અને કોંગ્રેસ પ્રમુખ તરીકે ખાતરી આપતા જણાવ્યું હતુ કે રાજકોટના પુત્ર તરીકે પ્રજા માટે હર હંમેશા જાગૃત રહીશ નિષ્ઠા પૂર્વકનો પ્રજાનો અવાજ બનીશ. પ્રજાનોસાચા અર્થમાં બનીને રહીશ તેવી ખાતરી આપીહતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.